હિન્દ પરિક્રમા: પવિત્ર પ્રેમકથા by Chandrasingh
ભારત પાકિસ્તાન સરહદે એક ગામ આવેલું છે. ભારત પાકિસ્તાન ભાગલા વખતે આ ગામના બે ભાગ પડી ગયા હતાં. એક જ ધણીના ખેતર વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા આવી ગઈ. જેમ બંગાળના ભાગલાનો દેશમાં વિરોધ થયેલો એટલો વિરોધ આ ભાગલાનો થયેલો. બંને સરકારોએ સર્વ સંમતિથી આ ગામ પૂરતું સીમાંકન રોકી રાખ્યું હતું. ૧૯૬૫માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતીય સેનાએ આ ગામ થકી છેક લાહોર સુધી તિરંગો ફરકાવી દીધેલો. જેથી દર વર્ષે ભારત પોતાનો હિસ્સો માનતા આ વિસ્તારમાં "હિન્દ પરિક્રમા" યોજી પોતાનું શક્તિ પ્રદર્શન કરે છે. હિન્દ પરિક્રમામાં ભારતના નાગરિકો પાકિસ્તાનની કહેવાતી ધરતી પર સરહદની હાઈ વોલ્ટેજ વાડની અંદર, વરંડાની અડોઅડ બનેલા રોડ પર ચાલીને પૂરી કરી, પાકિસ્તાનમાં ગયાનો અનુભવ કરી ભારતીય હોવાનો ગર્વ કરે છે. આ પરિક્રમા દર વર્ષે ૧૪ ઓગસ્ટના રોજ ભારતસરકાર દ્વારા સખત આર્મી સુરક્ષા વચ્ચે યોજવામાં આવે છે. હિન્દ પરિક્રમામાં દેશના ખૂણે ખૂણેથી લોકો ભાગ લે છે. "જય હિન્દ", "ભારતમાતા કી જય"ના જયઘોષ સાથે પરિક્રમા સંપન્ન થાય છે. આ વખતની પરિક્રમા થોડી વિશેષ હતી. કારણ કે મારી પ્રિયતમા હિયા ભાગ લઈ રહી હતી. હિયા દિલ્હી ...