Posts

Showing posts from June, 2022

શાળા પ્રવેશોત્સવ 2022

Image
  પ્રસ્તાવના: આપણી આર્ય સંસ્કૃતિમાં ચાર આશ્રમનું મહત્વ ઘણું અંકાયેલું છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યસ્થાશ્રમ. વૈદિક યુગીન કાળમાં શિક્ષાનું મહત્વ અનેરું હતું. એ વખતે બાળકો ભણવા ગુરુના આશ્રમમાં જતાં, ગુરુની આજ્ઞાનું શબ્દશઃ પાલન કરતાં, ગુરુ આશ્રમના દરેક કામ કરતાં. એ સમયે પણ આશ્રમમાં આવતા શિષ્યો માટે પ્રવેશોત્સવ થતો; જે તે રાજા દ્વારા નગરભોજનું આયોજન થતું શાળા પ્રવેશોત્સવ એટલે શાળામાં નાના ભૂલકાઓને ધોરણ એકમાં પ્રવેશ આપવો.ગુજરાત સરકારે 1998-99 ના વર્ષથી શાળા પ્રવેશોત્સવ નામનો કાર્યક્રમ અમલમાં મૂક્યો. શરૂઆતમાં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જિલ્લામાં આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા આરંભાયેલ શિક્ષા યજ્ઞના ભાગ રૂપે ચાલી રહ્યો છે. આ કાર્યક્રમનો હેતુ, બંધારણના અનુચ્છેદ 21A (રાજ્યના છ થી ચૌદ વર્ષના બાળક માટે શિક્ષા નિશુલ્ક અને અનિવાર્ય રહેશે)ને શબ્દશઃ સાકાર કરવાનો છે. 19 નવેમ્બર, 1984થી મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીના સમયમાં અમલમાં આવેલી મધ્યાહન ભોજન યોજના પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટેની છે. ગરીબ બાળકોને પોષણયુક્ત ...