Posts

Showing posts from October, 2020

ઉજ્જૈન દર્શન : હરસિદ્ધિ મંદિર

Image
  સત્તર તારીખની વહેલી સવારે, પાંચના ટકોરે અમે ઉજ્જૈનની પવિત્ર ભૂમિ પર પ્રથમ પગ મૂક્યો. અહીં "પ્રથમ" એટલે જીવનમાં પહેલીવાર. ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગ ને દુનિયા ઓળખે છે જ્યારે બીજો પગ મૂકનાર તેનો સહવિજ્ઞાની બેઝ એલ્ડ્રીન ને આજે ગણ્યાગાંઠ્યા જ ઓળખે છે.અમારું પણ એવું હતું. ઉજ્જૈન ની આ પ્રથમ મુલાકાત હતી. આનંદ સાથે રોમાંચ પણ ઘણો હતો.  અમે અમારો સામાન લઈ પ્લેટફોર્મ થી બહાર નીકળ્યા. ઉજ્જૈન રાજા વિક્રમાદિત્યના ન્યાય અને રામરાજ્ય નું પ્રતિક હતી એટલે રેલવે સ્ટેશને એમનો વિશાળ ફોટો દોરેલો હતો. મારા જોવાયેલા સ્ટેશનોમાં આ સ્ટેશન કઈક વિશેષ લાગતું હતું.અહીંથી લગભગ ત્રણ કિલોમીટર દૂર આવેલા હરસિદ્ધિ મંદિર  જવા રિક્ષા કરી. અહી તો રિક્ષા પણ કેવી શણગારેલી! તમે એક કહેવત સાંભળી હશે, "દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી" ; એમ બાહરી દેખાવ કોઈને છેતરવા માટે હોય છે. અમારી સાથે પણ કંઇક એવું થયું. રિક્ષાવાળા એ અઢી કિલોમીટરના એંશી રૂપિયા લીધા.  હરસિદ્ધિ મંદિરના દરવાજા પાસે ઉતર્યા. હવે છ વાગી ગયા હતાં. હરસિદ્ધિ આરતી સાત વાગે થવાની હતી. સ્થાનિક ને પૂછતાં ખબર પડી કે મંદિરની પાછળથી ક્ષિપ્રા...

ઉજ્જૈન દર્શન: રેલ મુસાફરી

Image
  હું , મનુ, મહેશ ને વિજય  સોળ ઓક્ટોબરની સાંજે સાબરમતી એક્સપ્રેસ પકડવા, ઘરેથી સાડા ચારે સરખી તૈયારી કરી નીકળી પડ્યા. ટ્રેન રાતના નવ વાગે કાલુપુર જંક્શનના નવમાં નંબરના પ્લેટફોર્મ થી ઉપાડવાની હતી. અમારે જવાનું હતું ઉજ્જૈન નગરી; રજા વિક્રમની તપોભૂમિ. માં હરિસિદ્ધી અને મહાકાલેશ્વર ના દર્શન કરી ધન્ય થવા અમે નીકળી પડ્યાં. અમારી સાથે મારો સહકર્મચારી વિજય પણ સવા આઠેં સ્ટેશને પહોંચી ગયો. અમે પાંચ પાંડવ અમારા પ્લેટફોર્મ પર પહોંચી ગયા, 09165નંબરની ગાડી મુકાઈ ગઈ હતી. અમે અમારા D2 વિભાગ નો ડબ્બો શોધી અમારી જગ્યા લઇ લીધી. અમારા પાંચ માટે આ જીવનનો પહેલો પ્રવાસ હતો. આમ તો હું ને વિજય ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા હોવા છતાંય રેલ પ્રવાસની ઘેલછા આજે પૂરી થયી. હું અગાઉ ઘણી વાર ટ્રેનના મુસાફરી કરી ચુક્યો છું પણ આ મુસાફરી કંઇક અલગ હતી. ટ્રેનની સ્વચ્છતા જોઈ મને કોરોના ને આભાર માનવાનું મન થયું. અમારો ડબ્બો એકદમ સ્વચ્છ અને સુઘડ હતો. અમારા પાંચ ની બેઠક અલગ ડબ્બામાં હતી એટલે અમને સામાન નું જોખમ પણ હતું, ખાસ કરીને જીતેન્દ્રસિંહ ના કેમેરાનું. નવના ટકોરે ગાડી પાટા પર સરકવા લાગી. અમારો આનંદ એની ચરમ ...

શિક્ષક તરીકે મારો પ્રથમ દિવસ

Image
2016 નું વર્ષ હતું. હું ભણીને હાલ જ નીકળ્યો હતો. હજુ તો ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણની સુવાસ મારા મુખેથી આવતી હતી. મે ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીમાં એમ.એ.નો અભ્યાસ કર્યો અને એ પણ અગ્રેજી વિષયમાં. બે વર્ષના ગહન અભ્યાસ પછી નોકરીની શોધમાં બજારમાં આવ્યો. મન હરખથી હરખાતું હતું કે મને પંદર વીસ હજારની નોકરી મળશે, લગ્ન કરીશું ને માતાપિતાની સેવા. મનના હરખને હજુ બે મહિના ન થયા ત્યાં એક ખાનગી શાળામાં સહાયક શિક્ષકની વાત આવી. આ શાળાનું નામ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ, લિહોડા. શાળામાં અંગ્રેજી શિક્ષકની જગ્યા હતી ને આપડે અંગ્રેજીમાં માસ્ટર! મનમાં આનંદ નો પાર ના રહ્યો. હું ઇન્ટરવ્યૂમાં ગયો. આચાર્ય સાહેબ મારી સામે જોયું. બોલ્યા," ભણાવતા ફાવશે?" મે કહ્યુ, "હા!. પણ....." "પણ શું?"  "મારી પાસે બી.એડ. ની ડીગ્રી નથી." "તમારે ધોરણ આઠ થી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણાવવાનું થશે. જો તમ એના માટે તૈયાર હોં, તો આ વેકેશન બેન્ચ થી નોકરી આવી જાવ. સર્ટીફીકેટની જરૂર નથી." "મને તો ભાવતું હતું ને વૈદે કીધુ" જેવો આનંદ થયો. સાડા છ હજાર પગાર ને દિવાળી પછી સ...

ગુજરાત vs. રાજસ્થાન ગરીબ ભોજન યોજના

Image
"ભોજન યોજના" એટલે ગરીબ, શ્રમિક વર્ગને સસ્તું અને પોષ્ટિક ભોજન પૂરું પાડતી યોજના. આ લેખમાં આપણે ભારતના બે રાજ્યો :ગુજરાત અને રાજસ્થાન મા રાજ્ય સરકાર દ્વારા ચલાવાતી ભોજન યોજના ની સમજ લઈશું. તમિલનાડુ થી શરૂ થયેલી "અમ્માં cantine" માનવ સમાજ માટે  આશીર્વાદરૂપ બની રહી છે.  તાજેતરના વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવ દ્વારા ભારતમાં 1995મા શરૂ કરાયેલ મધ્યાહન ભોજન યોજના પણ ગ્રામીણ તથા શહેરી બાળકોના પોષણ માટે ખૂબ કારગર બની ચૂકી છે. ગુજરાતમાં આ યોજના 1984 મા માધવસિંહ સોલંકીના સમયમાં શરૂ કરવામાં આવી, જેનો હેતુ શિક્ષણ નો વ્યાપ વધારવાનો હતો. કેન્દ્ર સરકાર દ્વારા 75: 25 ના પ્રમાણ ના સહાય કરવામાં આવે છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના: - આ યોજના ગુજરાત સરકારે બાંધકામ મજૂરો ને બે ટંકનું પોષ્ટિક ભોજન મળી રહે એ હેતુથી શરૂ કરવામાં આવી. 9 - આ યોજના અંતર્ગત સરકાર 10₹ મા ભરપેટ ભોજન આપવાનુ શરૂ કર્યું. - આ યોજના 8 મહાનગરપાલિકાઓ મા શરૂ કરાઈ. - આ યોજના અંતર્ગત શાક, રોટલી, દળ ભાત. ઇન્દિરા રસોઈ યોજના - યોજના ગેહલોત સરકારે 2018મા અમલ મા મુકી છે. તેના અંતર્ગત રાજસ્થાન મા ₹8 મા જમવાનું અપાય છે. - ઇન્દિરા રસોઈ, ...

माउंट आबू

Image
   माउंट आबू।। हमारा आजका टॉपिक स्थल पर है और वो भी राजस्थान पर। राजस्थान यानि राजपूताना। यानि वीर पुरुषों की भूमि। भारत में जितने भी राजपूत है, उन सभी की उत्पत्ति यहां से हुई है। कहते है कि भारत में चार प्रकार क्षत्रिय :1 परमार,  2 चौहान 3 प्रतिहार और 4 सोलंकी राजवंश की उत्पत्ति हुई। गौर तलब है कि जब पृथ्वी पर क्षत्रियों का अत्याचार बढ़ गया था तब परशुराम ने इस धरा को क्षत्रिय हीन बना दिया था। जब क्षत्रियों कि कमी हुए तो राक्षस का अत्याचार बढ़ने लगा। अत्याचार से बचने के लिए वशिष्ठ ऋषिने आबू पर्वत पर यज्ञ किया। इस यज्ञ से " मार....मार... बोलने वाला पहला पुरुष निकला, जिसने "पर" नामक राक्षस का वध किया जिससे इसका नाम "परमार" हुआ। बाद में को पुरुषों का जन्म हुआ वो क्रमशः चौहान, प्रतिहार और सोलंकी। समय के साथ इस महा पुरुषों का विस्तार सारे भारत में हुआ और उसने अपना कर्म पूरी निष्ठा के साथ किया। क्षत्रिय के 36 शाखाएं में से यह चार अग्नि वंशी राजपूत कहलाए। जय भवानी. धन्य है यह धरा।